Wednesday, June 22, 2011

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ....?


ગાંધીજી પણ પોતાના 'બાપુજી'ને એકદમ પૂજ્ય ગણતા, તેમની સેવામાં તેમને પાછી પાની કરી નહતી. તેમની આત્મકથામાં થોડુંક  વિષે લખેલ છે.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ...?

  
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  

સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે

દેવ-દેવીઓએ પણ માતાના  ગુણગાન ગયા છે.  

લેખકો-કવિઓ  પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.   

સારી વસ્તુ ને માતાની  ઉપમા આપવામાં આવે છે

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી

કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ 
તે ઉગ્રવ્યસની અને મારઝૂડ કરનારા  હોયછે.  આવા પિતાઓ 
સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે,

પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે

માતા રડીને છૂટી થઇ જાય છે

પણ સાંત્વનઆપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે.

અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે 

કારણકે દીવાકરતા દીવી વધારે ગરમ હોય છેને !

પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.

પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા 

પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? 

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ,
પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે 
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ

રામ  કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.

 તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે 
આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે"

તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.

દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તોજુનો લેંઘોજ  વાપરશે.

સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે

પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તોન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. 

ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી.

તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડરલાગે છે.  કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ.....

No comments:

Post a Comment